Gujarat Biporjoy Vavajodu Sahay 2023 : બિપોરજોય વાવાઝોડું સહાય અંતર્ગત 5 દિવસની કેશડોલ ચૂકવામાં આવશે, જુઓ વ્યકતિદિઠ કેટલી મળશે સહાય ?
Gujarat Biporjoy Vavajodu Sahay 2023 : અરબી સમુદ્રમાં સર્જાયેલુ શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય કચ્છના દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતુ. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તે પહેલા જ રાજ્ય સરકારના આગોતરા આયોજનના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 9 તાલુકાના 442 ગામો અસરગ્રસ્ત જરૂર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે.
હવે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન આપી રહી છે. એવામાં સરકાર દ્વારા કેશડોલ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ આર્ટીકલમાં મિત્રો આપણે બિપોજોય વાવાઝોડું સહાય 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.
Contents
Gujarat Biporjoy Vavajodu Sahay 2023
શું છે યોજનાનુ નામ | Biporjoy Cyclone Sahay 2023 |
પોસ્ટનુ પ્રકાર | સરકારી યોજના |
વ્યકતિદિઠ મહતમ રૂ. | દૈનિક રૂ.100 (વધુ મા વધુ રૂ.500) |
બાળકદિઠ રકમ | દૈનિક રૂ.600 (વધુ મા વધુ રૂ.300) |
રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે.
રાજ્યમાં 5 દિવસની કેશડોલ ચૂકવાશે
બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય આપવી જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા સરકાર દ્વારા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
જાણો શું છે કેશડોલ્સ સહાય?
- કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તો વિસ્તારોના નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવામા આવે છે. વહિવટીતંત્ર દ્વારા Biporjoy Cyclone Sahay 2023 વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે.
- વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલ અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવામા આવે છે.
જુઓ ક્યાં-ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે?
- આ સંજોગોમાં અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં કેશડોલની રકમ જમા કરવી અને ઉપાડવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આમ, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત આપવા માટે રોકડ સહાયનો મુદ્દો વિચારણા હેઠળ હતો. તેથી, Biporjoy Cyclone Sahay 2023 ચક્રવાતથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાબતને ધ્યાનમાં લઈને, સરકાર નીચે મુજબ નિર્ણય કરે છે.
- બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ દ્વારા શું સહાય આપવામાં આવશે?
- બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને સહાય આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.
ઉપયોગી લિંક્સ
સરકારી ઠરાવ જુઓ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત વાવાઝોડું સહાય યોજના 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.