Gujarat Navratri 2023 Singer Scheduled : ગુજરાત નવરાત્રી કાર્યક્રમ 2023, કલાકાર વાઈઝ લીસ્ટ, જુઓ ક્યાં ક્યાં આયોજન થશે નવરાત્રી
Gujarat Navratri 2023 Singer Scheduled : ગુજરાત નવરાત્રી કાર્યક્રમ 2023 : આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરના રોજ શરૂ થઈ અને સમાપન 23 સપ્ટેમ્બર 2023 ના રોજ થશે. જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહ થી થૈયારી કરી રહ્યા છે. આવર્ષે નવરાત્રીમાં ગુજરાતના લોક લાડીલા કલાકારો છે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એમ જ છે તેવા ગુજરાતના ટોપ કલાકારો વિશે માહિતી મેળવીશું.
આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત નવરાત્રી કાર્યક્રમ 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.
Contents
Navratri નજીક આવી રહી છે. નવરાત્રી એટલે ગરમે રમવા અને ગવાનો અવસર. Navratriની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. એમા પણ પોતાના ફેવરીટ કલાકાર હોય તો ગરમે ઘૂમવાનો આનંદ જ કયક અલગ હોય છે. આ વર્ષે Kirtidan Gadhvi થી માંડી Geeta Rabari અને Kinal dave સહિતના ખ્યાતનામ કલાકારો ગરબામા કયા પરફોર્મ કરનાર છે તેની માહિતી.
ગીતાબેન રબારી
નવરાત્રિના હવે ગણતરીના દિવસો છે બાકી છે. તેવામાં આ વર્ષે નવરાત્રી નો આ વર્ષ શાળાએ નવરાત્રીની શરૂઆત 15 ઓગસ્ટ 2023 થી થશે અને 23 સપ્ટેમ્બર 2023 ના રોજ 9 મહિના હવન સાથે સમાપન થશે. ઉપર ગીતાબેન રબારી નો ફોટો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગીતાબેન રબારી નો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં 31 ડિસેમ્બર 1996 ના રોજ થયો હતો. ગુજરાતી કલાકારો ની વાત કરીએ તો ગીતાબેન રબારી ખૂબ જ ફેમસ છે અને તેમનું નામ કોઈ ન સાંભળ્યું હોય તેવું ન બને. ગીતાબેન રબારી લોકગીત, ભજન, સંતવાણી અને ડાયરા માટે પ્રખ્યાત છે. ગીતાબેન રબારી ના instagram પર 4.2 મિલિયન ફોલોવર્સ છે.
કિંજલ દવે
કિંજલ દવે નો જન્મ 21 નવેમ્બર 1992 ના રોજ જેસંગપરાય, પાટણમાં થયો હતો. કિંજલ દવે ગુજરાતી શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે. જે તેમનું ગીત ” ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ” ગીત ગાયને ખૂબ જ ફેમસ થયા હતા. . આ સિવાય કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, સંતવાણી અને લોક ડાયરા માટે પ્રખ્યાત છે. કિંજલ દવે નાની ઉંમરમાં જ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ઓળખ મેળવી છે. આ સાથે કિંજલ દવેના પ્રખ્યાત ગીતોમાં ચાર ચાર બંગડીવાળી, ગોગો ગોગો મારો ગોમ, એઢણી મારી, મોજમાં અને લેરી લાલા ગીત માટે ફેમસ છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે નવરાત્રીમાં કિંજલ દવે ના અમેરિકામાં 13 કાર્યક્રમમાં થવા જઈ રહ્યા છે.
ઐશ્વર્યા મજુમદાર
ઐશ્વર્યા મજુમદાર એક ભારતીય ગુજરાતી સિંગર છે. તેણીએ 2007-2008માં 15 વર્ષની ઉંમરે સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા – છોટે ઉસ્તાદ શો જીતીને લોકપ્રિયતા મેળવી હતી. સમગ્ર શોમાં, તેણીના પરફોર્મન્સથી STAR Voice OF India ના જજો દ્વારા ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેણીએ તાજેતરમાં તેના નવા ગરબા “માં તમે અને ચાંદલીયો ઉગ્યો રે”નું લોન્ચિંગ કર્યું હતું.
આદિત્ય ગઢવી
ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીનો જન્મ 3 એપ્રિલ 1994 ના રોજ દુધરેજ, સુરેન્દ્રનગરમાં થયો હતો. તેઓ યુવા પેઢીમાં લોકપ્રિય છે. તેમના પૂર્વજો પણ સંગીત સાથે જોડાયેલા હતા, તેથી સંગીત તેમના લોહીમાં છે. તેઓ નાનપણથી જ સંગીત સાથે જોડાયેલા હતા. તેમના સૌથી લોકપ્રિય ગીતોમાં સપના વિનાની રાત, જોડે રેજો રાજ, મોજમાં રેવું, રંગ ભીના રાધ, હાલાજી તારા હાથ વખાણું અને પંખી રેનોનો સમાવેશ થાય છે.
કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવી નો જન્મ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાલવોડમાં જન્મ્યા હતા. ગુજરાતી લોક ડાયરો અને ગરબાના ગાયક, કિર્તીદાનએ પોતાના કારકિર્દીની શરૂઆત ની શરૂઆત ગાય સંરક્ષણ રેલીથી કરી હતી. 2009માં, તેમણે MTV કોક સ્ટુડિયોમાં સચિન, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે “લાડકી” ગીત ગાયું હતું, પછી તે ખૂબ જ પ્રસિદ્ધ થયા. આજે, કિર્તીદાન ગઢવી ગુજરાતી સંગીતમાં એક અગ્રણી નામ છે. તેમના લોક ડાયરો અને ગરબા ગીતો ગુજરાતી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ તેમની સંગીતની કુશળતા અને તેમના ઉત્સાહી પ્રદર્શન માટે જાણીતા છે.
જીગ્નેશ કવિરાજ
જીગ્નેશ કવિરાજનો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં થયો હતો. ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી નામ, જીગ્નેશ કવિરાજનો અવાજ લોકોના મનમાં ઘર કરી ગયો છે. પ્રેમ, દુઃખ, ભક્તિ, અને ઉત્સાહ જેવા વિવિધ વિષયો પર તેમના ગીતો ગુજરાતી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમણે 2017માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે ઘણા હિટ ગીતો રેકોર્ડ કર્યા છે. જીગ્નેશ કવિરાજના કેટલાક સૌથી લોકપ્રિય ગીતોમાં “રસિયો રૂપાડો”, “માની આરતી”, “પરિણીને પારકા થઇ ગયા”, “તારા દિલમાં દગો રે હતો”, અને “તને મારા જેટલો પ્રેમ કોઇ”નો સમાવેશ થાય છે.
ફાલ્ગુની પાઠક
ફાલ્ગુની પાઠક નો જન્મ 12 માર્ચ 1969 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર મા થયો હતો. ફાલ્ગુની પાઠક ને દાંડિયા ક્વીન નામથી પણ ઓળખાય છે. ફાલ્ગુની પાઠક મુંબઈ બેજ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી સંગીતકાર અને પરફોર્મર છે. તે લોકસંગીત, ગરબા અને ભજન જેવા પરંપરાગત સંગીત સ્વરૂપો પર આધારિત છે. ફાલ્ગુની પાઠકે 1987માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમણે ગુજરાત, ભારત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે. ફાલ્ગુની પાઠક તેમના ભવ્ય અવાજ અને ઉત્સાહી પ્રદર્શન માટે જાણીતા છે. તમે ઘણા સુપરહિટ ગીતો પણ રેકોર્ડ કર્યા છે. જેમાં “મૈંને પાયલ હૈ છનકાયી”, “મેરી ચુનર ઉડ ઉડ જાયે”, અને “દિલ ઝુમ ઝુમ નાચે”નો સમાવેશ થાય છે. ફાલ્ગુની પાઠકની સફળતાએ ગુજરાતી સંગીતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવામાં મદદ કરી છે. તેઓ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે જેણે ગુજરાતી સંસ્કૃતિ અને વારસોને વિશ્વ સાથે શેર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ નવરાત્રીમા ગુજરાતના ખ્યાતનામ ગરબા કલાકારો કયા પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે તેનુ લીસ્ટ આ પોસ્ટમા આપણે મેળવીશુ. આ તમામ ગરબાઓ યુ ટયુબ પર હવે તો લાઇવ પણ આવતા હોય છે. ઘરેબેઠા પણ લાઇવ ગરબાનો આનંદ માણી શકો છો.
- અરવીંદ વેગડા Arvind Vegda: સુપ્રસિદ્ધ ગરબ કલાકાર અરવીંદ વેગડા નવરાત્રી 2023 મા તા. 15 થી 28 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે.
- વૈશાલી ગોહીલ Vaishali gohil: વૈશાલી ગોહીલ આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી એપ્રીકોટ એસી ડોમ, રામકથા રોડ, કતારગામ સુરતમા પોતાનુ પરફોર્મ આપનાર છે.
- પાર્થ ઓઝા Parth Oza: પાર્થ ઓઝા આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પોતાનુ પરફોર્મ આપનાર છે.
- વિક્રમ ઠાકોર Vikram thakor: સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોર આ નવરાત્રી મા ગાંધીનગર, પાટણ અને અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા અલગ અલગ દિવસે પરફોર્મ આપનાર છે.
- અતુલ પુરોહિત Atul Purohit: જેના ગરબા ના તાલે એકસાથે 40 થી 50 હજાર લોકો ઝૂલતા હોય તેવા ગરબા માટે ખૂબ જ ફેમસ અતુલ પુરોહિત દર વખત ની જેમ બરોડા ના સુપ્રસિદ્દ્ધ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા મા પરફોર્મ આપનાર છે.
- ઉમેશ બારોટ Umesh Barot: ઉમેશ બારોટ આ નવરાત્રી મા તમામ દિવસો મા સુવર્ણ નવરાત્રી, વેસુ, સુરત ખાતે પરફોર્મ આપનાર છે.
- આદિત્ય ગઢવી Aditya Gadhvi: ખૂબ જ સુરીલા ગાયક એવા આદિત્ય ગઢવી આ નવરાત્રી મા તારીખ 16 થી 24 ઓકટોબર દરમિયાન એસ.એસ.ફાર્મ અમદાવાદ મા પરફોર્મ આપનાર છે.
- ઓસમાણ મીર Osman Mir: ઓસમાણ મીર આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર દરમિયાન કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ, બોરીવલી. મુંબઇ મા પરફોર્મ આપનાર છે.
- પાર્થીવ ગોહીલ Parthiv Gohil: પાર્થીવ ગોહીલ આ નવરાત્રી મા ગોરેગાંવ મુંબઇ મા પરફોર્મ આપનાર છે.
- જિગ્નેશ કવીરાજ Jignesh Kaviraj: ગરબા માટે જાણીતા કલાકાર જિગ્નેશ કવીરાજ આ નવરાત્રી મા 15 થી 23 ઓકટોબર દરમિયાન અમદાવાદ ના એસ.જી.હાઇવે, ગોતા ક્રિકેટ ગ્રાઉન્ડ મા યોજાતા ગરબા મા પરફોર્મ આપનાર છે.
- ફાલ્ગુની પાઠક Falguni Pathak: ગરબા ક્વીન એટલે કે ફાલ્ગુની પાઠક આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા પાર્ટી પ્લોટ ગરબા મા પરફોર્મ આપનાર છે.
- કિર્તીદાન ગઢવી Kirtidan Gadhvi: નવરાત્રી હોય કે ના હોય કોઇ પણ પ્રસંગ મા જેના ગરબા પર લોકો સૌથી વધુ ઝુમે છે તેવા કીર્તીદાન ગઢવી નવરાત્રી 2023 મા તમામ દિવસ 15 થી 24 ઓકટોબર એસ.પી. રીંગ રોડ પર યોજાતા પાર્ટી પ્લોટ મા પરફોર્મ આપનાર છે.
- ઐશ્વર્યા મજમુદાર Aishwarya Majmudar: સુરીલી ગાયક કલાકાર એશ્વર્યા મજમુદાર આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા ગરબામા પરફોર્મ આપનાર છે.
- ગીતા રબારી GeetaBen Rabari: સુરીલા ગાયક કલાકાર ગીતાબેન રબારી આ નવરાત્રી મા મુંબઇ ગરબા મા પરફોર્મ આપનાર છે.
- કિંજલ દવે kinjal Dave: ચાર ચાર બંગડી વાડી ગાડી ગીતથી ફેમસ થનાર કિંજલ દવે નવરાત્રી 2023 મા બોરીવલી મુંબઇ નવરાત્રી મા પરફોર્મ આપનાર છે.
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત નવરાત્રી કાર્યક્રમ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.